કલ્કિ
વિષ્ણુનો દશમો અને છેલ્લો અવતાર / From Wikipedia, the free encyclopedia
કલ્કિ, જે નકળંક નામથી પણ ઓળખાય છે, ભગવાન વિષ્ણુનો હવે પછી થનાર અવતાર મનાય છે. પુરાણકથાઓ અનુસાર કલિયુગમાં પાપ તથા અત્યાચાર હદ ઉપરાંત વધી જવાથી, જગતમાંથી દુષ્ટોના સંહાર માટે કલ્કિ અવતાર પ્રગટ થશે. ભગવાન કલ્કિનું વાહન દેવદત્ત નામનો અશ્વ અને શસ્ત્ર તલવાર હશે. હિન્દુ ધર્મ મુજબ આ અવતાર દશમો અને છેલ્લો અવતાર થશે.
Quick Facts કલ્કિ, જોડાણો ...
કલ્કિ | |
---|---|
પાપ વિનાશ અને ધર્મ સંસ્થાપક | |
દશાવતારના સભ્ય | |
કલ્કિ તેમના દેવદત્ત અશ્વ પર તલવાર સાથે | |
જોડાણો | વિષ્ણુનો દશમો અને છેલ્લો અવતાર |
રહેઠાણ | વૈકુંઠ |
શસ્ત્ર | તલવાર |
વાહન | દેવદત્ત, સફેદ અશ્વ[1][2] |
લિંગ | પુરુષ |
ઉત્સવો | કલ્કિ જયંતિ |
વ્યક્તિગત માહિતી | |
આવિર્ભાવ | નૈમિષારણ્ય |
જીવનસાથી | પદ્મા અથવા પદ્મિની અથવા પદ્માવતી (લક્ષ્મીનો અવતાર) |
માતા-પિતા | વિષ્ણુયશ (પિતા) સુમતિ (માતા) |
સહોદર | સુમંત, પ્રજ્ઞા અને કવિ |
બંધ કરો
કલ્કિ અવતારની માન્યતા માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં પણ બૌદ્ધ અને શીખ ધર્મના અનુયાયીઓમાં પણ જોવા મળે છે.