કાલિદાસ
સંસ્કૃત ભાષાના કવિ / From Wikipedia, the free encyclopedia
કાલિદાસ સંસ્કૃત ભાષાના એક પ્રખર કવિ હતા. તેઓને મહાકવિ કાલિદાસનું બિરુદ આપવામાં આવ્યું છે. કાલિદાસે કુલ સાત રચનાઓનું સર્જન કર્યું હોવાનું માનવામાં આવે છે. આ રચનાઓ પૈકીના ચાર મહાકાવ્યો તથા ત્રણ નાટકો છે. તેમની રચનાઓમાં "મેઘદૂતમ્", "ઋતુસંહારમ્", "કુમારસંભવમ્" અને "રઘુવંશમ્" એ ચાર મહાકાવ્યો છે અને "અભિજ્ઞાન શાકુંતલમ્", "વિક્રમોર્વશીયમ્" તથા "માલવિકાગ્નિમિત્રમ્" નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે. જર્મન કવિ ગેટે તેમના નાટક અભિજ્ઞાન શાકુંતલમ્થી ખુશ થઈને તેને માથે મુકીને નાચ્યા હતા. એમના વિષે વધુ વિગતોની જાણ નથી, પરંતુ એવું મનાય છે કે તેઓ ઇ. સ. પૂર્વે ૧લીથી ઇસ. ૫મી સદી વચ્ચે થઈ ગયા.[1]
Quick Facts કાલિદાસ, મૃત્યુ ...
કાલિદાસ | |
---|---|
"મેઘદૂત" લખી રહેલા કાલિદાસ | |
મૃત્યુ | ગુપ્ત સામ્રાજ્ય, કદાચ ઉજ્જૈન અથવા શ્રીલંકા |
વ્યવસાય | નાટ્યકાર અને કવિ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
સમયગાળો | આશરે ઇ.પૂ. ૧લીથી ઇસ. ૫મી સદી |
લેખન પ્રકાર | સંસ્કૃત નાટકો, શાસ્ત્રીય સાહિત્ય |
વિષય | મહા કાવ્ય, હિંદુ પુરાણો |
નોંધપાત્ર સર્જનો | અભિજ્ઞાનશાંકુતલમ્, રઘુવંશમ્, મેઘદૂત, વિક્રમોર્વશીય, કુમારસંભવ |
બંધ કરો