ગુરુ ગ્રંથ સાહેબ
From Wikipedia, the free encyclopedia
શ્રી ગુરુ ગ્રંથ સાહેબ (પંજાબી: ਸ਼੍ਰੀ ਗੁਰੂ ਗ੍ਰੰਥ ਸਾਹਿਬ ਜੀ) કે આદિ ગ્રંથ, એ શીખ સંપ્રદાયનું ધાર્મિક પુસ્તક છે. આ તેઓના અંતિમ અને સાશ્વત ગુરુ છે. [1] આ એક દળદાર ગ્રંથ છે જેમાં ૧૪૩૦ અંગ છે. આ ગ્રંથનું સંપાદન અને રચનાઓ ૧૪૬૯ અને ૧૭૦૮ વચ્ચે શીખ ગુરુઓના હયાતી કાળ દરમ્યાન થયું.[1] આ કડીઓનું સંપાદન છે જેને શબ્દ કે વાણી (બાની) કહે છે જેઓ પ્રભુના ગુણ દર્શાવે છે[2] અને કોઈ વ્યક્તિએ શામાટે પ્રભુ સ્મરણ તે પણ બતાવે છે. ગુરુ ગોવિંદસિંહ (૧૬૬૬–૧૭૦૮), શીખોના દસમા ગુરુએ, આ પવિત્ર આદિ ગ્રંથને પોતાના અનુગામી તરીકે ઘોષિત કર્યો, આથી તેનું નામ કે સ્થાન ગુરુ ગ્રંથ સાહેબ પડ્યું.[3] તે સમયથી આ ગ્રંથ શીખો માટે પવિત્ર ગ્રંથ છે, અને આને દસ ગુરુઓના બોધનો સાર મનાય છે.[4] આદિ ગ્રંથ એ શીખોની પ્રાર્થનાઓનો સ્ત્રોત અને માર્ગદર્શક છે.[5]
આદિ ગ્રંથનું સૌ પ્રથમ વખત સંપાદન પાંચમા શીખ ગુરુ અર્જણ દેવ (૧૫૬૩-૧૬૦૬) દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંપાદન પ્રથમ પાંચ શીખ ગુરુઓએ આપેલ બોધ અને અન્ય હિંદુ તથા મુસ્લિમ મહાન સંતો કે ભગતની વાણી કે રચનાઓ પર આધારિત હતું.[2] દસમા શીખ ગુરુના અવસાન બાદ બાબા દીપ સિંહ એ આની ઘણી પ્રતો બનાવડાવી ને વહેંચી હતી.
આ ગ્રંથ ગુરુમુખી લિપીમાં લખાયો છે. આ લિપી લેહંદી, પંજાબી, વ્રજ ભાષા, ખરીબોલી, સંસ્કૃત અને પર્શિયન ભાષાનું મિશ્રણ છે. આ ભાષાને સંત ભાષા પણ કહે છે.[6]