જંતર મંતર
From Wikipedia, the free encyclopedia
૨૬° 55 ૨૯° N જંતર મંતરએ એક ખગોળ સ્થાપત્યોનો સમૂહ છે, જેને મહારાજા જય સિંહ - ૨ દ્વારા તેમની નવી રાજધાની અને હાલના રાજસ્થાનના મુખ્ય શહેર એવા જયપુર શહેરમાં ઈ.સ. ૧૭૨૭ અને ૧૭૩૪ની વચ્ચેના સમયમાં બંધાવવામાં આવ્યું હતું. આ સ્થાપ્ત્યની રચના તેમના દ્વારા મોગલ સામ્રાજ્યના પાટનગર અને હાલના ભારત દેશની રાજધાની એવા દિલ્હી શહેરમાં બંધાવવામાં આવી હતી. તેમણે આવા પાંચ સ્થાપત્યો વિવિધ સ્થળોએ બંધાવ્યાં હતાં, જેમાં દીલ્હી અને જયપુર શામેલ છે. જયપુરની આ વેધશાળા આ સૌમાં સૌથી મોટી છે.