ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ
From Wikipedia, the free encyclopedia
ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) ભારતનાં ૭૦,૦૦૦ કિ.મી. ઉપરાંતનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણ, સુધારા અને દેખરેખ માટેની સ્વાયત્ત મધ્યવર્તી સંસ્થા છે. એ ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (Ministry of Road Transport and Highways) હેઠળ કામ કરે છે. રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પરિયોજના (NHDP) રાષ્ટ્રીય ધોરીમાર્ગોનાં પ્રબંધન અને દેખરેખ માટેનો મુખ્ય આયાસ છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ ધોરીમાર્ગોનાં નિર્માણ, વિકાસ અને કર ઉઘરાવવા (ટોલ ટેક્ષ) અર્થે અનેક વાર જાહેર-ખાનગી ભાગીદારીનો નમૂનો (મૉડલ) અમલમાં લાવે છે.[1]