રામ
વિષ્ણુના સાતમાં અવતાર, મર્યાદા પુરુષોત્તમ / From Wikipedia, the free encyclopedia
રામ હિંદુ ધર્મમાં એક પ્રમુખ દેવતા છે. તે વિષ્ણુનો સાતમો અને સૌથી લોકપ્રિય અવતાર છે. હિંદુ ધર્મની રામકેન્દ્રી પરંપરાઓમાં તેમને સર્વોચ્ચ (પરમ અસ્તિત્વ) માનવામાં આવે છે.[4]
રામ | |
---|---|
દશાવતારના સભ્ય | |
૧૯મી સદીના પ્રારંભમાં તીર પકડતા રામનું ચિત્રણ | |
જોડાણો |
|
પુરોગામી | દશરથ |
અનુગામી | લવ |
રહેઠાણ | |
મંત્ર | જય શ્રીરામ જય સિયારામ હરે રામા |
શસ્ત્ર | ધનુષ્ય અને તીર |
સેના | વાનર સેના |
દિવસ | ગુરુવાર |
ગ્રંથો |
|
લિંગ | પુરુષ |
ઉત્સવો | |
વ્યક્તિગત માહિતી | |
આવિર્ભાવ | |
દેહત્યાગ | |
જીવનસાથી | સીતા[3] |
બાળકો | |
માતા-પિતા | |
સહોદર | |
કુળ | રઘુવંશ-સૂર્યવંશ |
કોશલ સામ્રાજ્યની રાજધાની અયોધ્યામાં કૌશલ્યા અને દશરથને ત્યાં રામનો જન્મ થયો હતો. તેના ભાઈ-બહેનોમાં લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો સમાવેશ થતો હતો. તેમણે સીતા સાથે લગ્ન કર્યા હતા. રાજવી પરિવારમાં જન્મેલા હોવા છતાં, હિન્દુ ગ્રંથોમાં રામના જીવનનું વર્ણન દરિદ્ર અને મુશ્કેલ સંજોગોમાં દેશનિકાલ, નૈતિક પ્રશ્નો અને નૈતિક દ્વિધાઓ જેવા અણધાર્યા ફેરફારો દ્વારા પડકારવામાં આવ્યું છે.[5] તેમની તમામ મુશ્કેલીઓમાં, સૌથી નોંધપાત્ર બાબત રાક્ષસ-રાજા રાવણ દ્વારા સીતાનું અપહરણ છે, ત્યારબાદ રામ અને લક્ષ્મણ દ્વારા દુષ્ટ રાવણનો નાશ કરવા માટેના અને સીતાની સ્વતંત્રતા મેળવવા દૃઢ નિશ્ચયી અને મહાકાવ્ય પ્રયત્નો કરવામાં આવ્યા છે. રામ, સીતા અને તેમના સાથીઓની સમગ્ર જીવનકથામાં વ્યક્તિની ફરજો, અધિકારો અને સામાજિક જવાબદારીઓની ચર્ચા કરવામાં આવી છે. તે આદર્શ પાત્રો દ્વારા ધર્મ અને ધાર્મિક જીવનને સમજાવે છે.[5][6]
વૈષ્ણવ ધર્મ માટે રામનું વિશેષ મહત્વ છે. તેઓ પ્રાચીન હિંદુ મહાકાવ્ય રામાયણના કેન્દ્રીય વ્યક્તિ છે, જે દક્ષિણ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયાની સંસ્કૃતિઓમાં ઐતિહાસિક રીતે લોકપ્રિય ગ્રંથ છે.[7][8][9] તેમની પ્રાચીન દંતકથાઓએ ભાષ્ય (ભાષ્યો) અને વિસ્તૃત ગૌણ સાહિત્યને આકર્ષિત કર્યું છે અને પ્રદર્શન કલાને પ્રેરિત કરી છે. ઉદાહરણ તરીકે, આવા બે ગ્રંથો છે, અધ્યાત્મ રામાયણ - એક આધ્યાત્મિક અને ધર્મશાસ્ત્રીય ગ્રંથ જેને રામાનંદી મઠો દ્વારા પાયારૂપ માનવામાં આવે છે,[10] અને શ્રી રામ ચરિત માનસ - એક લોકપ્રિય ગ્રંથ જે ભારતમાં દર વર્ષે શરદ ઋતુ દરમિયાન હજારો રામલીલા મહોત્સવના પ્રદર્શનને પ્રેરિત કરે છે.[11][12][13]
રામની દંતકથાઓ જૈન અને બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં પણ જોવા મળે છે, જો કે આ ગ્રંથોમાં તેમને ક્યારેક પૌમા અથવા પદ્મા પણ કહેવામાં આવે છે,[14] અને તેમની વિગતો હિન્દુ સંસ્કરણોથી નોંધપાત્ર રીતે અલગ પડે છે.[15] જૈન ગ્રંથોમાં ૬૩ શલાકાપુરુષોમાં રામનો આઠમા બલભદ્ર તરીકે ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.[16][17][18] શીખ ધર્મમાં દશમ ગ્રંથમાં ચૌબિસ અવતારમાં વિષ્ણુના ચોવીસ દિવ્ય અવતારોમાંના એક તરીકે રામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.[19]